Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- PM modi: શું વડાપ્રધાન મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંકલનથી અસંતુષ્ટ છે? તેમણે તેમના મંત્રીઓને આ સલાહ આપી હતી
- rani mukherjee: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેત્રીનું સન્માન કર્યું; મંચ પર ભાવુક થઈને તેમણે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો
- જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ગેરરીતી જોવા મળી, બોગસ મતદાન થયું: Raju Borkhataria AAP
- ટ્રાફિક નિયમ તોડનારાઓ સામે Gujaratની કડક કાર્યવાહી, એક મહિનામાં 74 હજાર ચલણ; ₹5.33 કરોડનો દંડ વસૂલાયો
- ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ’ મુદ્દે રાજકીય ગરમાવો, Imran Khedawalaએ આપ્યો જવાબ




