Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Trump: વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, તો અમેરિકાએ તેના પર ચોરીનો આરોપ કેમ લગાવ્યો?
- Lok sabha: મનરેગાના સ્થાને લોકસભામાં એક નવું રોજગાર બિલ “જી-જી રામ જી” પસાર, વિપક્ષી સાંસદોએ બિલના પાના ફાડી નાખ્યા
- Bangladesh માં ચૂંટણી લડનારા દરેક ઉમેદવારને બંદૂક મળશે, સરકારે આ નિર્ણય કેમ લીધો તે જાણો
- Lalit Modi: લંડનમાં બે ભાગેડુ ફરી ભેગા થયા; લલિત મોદીએ વિજય માલ્યાનો 70મો જન્મદિવસ ઉજવ્યો
- Ahmedabad: AMCએ વ્યાજ માફી યોજનાની જાહેરાત કરી, જૂના અને નવા ફોર્મ્યુલા હેઠળ મિલકત માલિકોને મળતી રાહત જાણો





