Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- ખેડૂતો, ખેતમજૂરો, ભાગ્યાઓની સમસ્યાઓ મુદ્દે AAP કિસાન મહાપંચાયત યોજી રહી છે: Isudan Gadhvi
- Mumbai-Ahmedabad Bullet Train Project: ગુજરાતના ભરૂચમાં 230 મીટર લાંબો સ્ટીલ બ્રિજનો કરવામાં આવ્યો શિલાન્યાસ
- ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કર્યા છે : Amit Chavda
- Ahmedabad: કપલને ડિજિટલી અરેસ્ટ કરી 15,000,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માંગતા હતા; બેંક મેનેજરે કર્યું આ કામ, છેતરપિંડી કરનારા કોકી ગયા
- Ahmedabadના ખોખરામાં બનશે 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી ઓવરહેડ ટાંકી





