Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Rafah border: સોમવારે રફાહ બોર્ડર ફરી ખુલી, ગાઝા પરત ફરતા પેલેસ્ટિનિયનો માટે મોટી રાહત
- Nepalમાં એક નવી પેઢી રાજકારણમાં પ્રવેશ કરશે, ઝેન જી જૂથ એક રાજકીય પક્ષ બનાવશે; આ મહત્વપૂર્ણ શરતો પણ નક્કી
- Putin-trump: પુતિન-ટ્રમ્પ ફ્રેન્ડશીપ ટનલ શું છે? રશિયા તેને ડ્રીમ પ્રોજેક્ટ કેમ કહી રહ્યું છે?
- Pakistan: પંજાબ પ્રાંતમાં 5,500 થી વધુ TLP સભ્યોની ધરપકડ, હિંસક અથડામણો બાદ કાર્યવાહી
- Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો દાવો, પ્રત્યાર્પણ કેસમાં આગામી સુનાવણીમાં સનસનાટીભર્યા ખુલાસા થશે