Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Air India: ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ રવાના થયા 3 ઇટાલિયન મુસાફરો… દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક; એર ઇન્ડિયાને નોટિસ ફટકારાઈ
- gold: ક્રૂડ ઓઈલ સોનાના સમીકરણને ખોરવી રહ્યું છે… શું સોનાનો ભાવ ₹1.50 લાખની નીચે જશે?
- Sports News: પાકિસ્તાનની ફજેતી, એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી
- Ahmedabad: ખાડિયામાં એક જૂની ઇમારત ધરાશાયી થતાં એક મહિલાનું મોત, અને ત્રણ અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા
- Banaskantha: પાલનપુર-કરજોડા બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ




