Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- putin: રશિયાએ ઈરાનના સુરક્ષા વડા લારીજાનીના મૃત્યુને ‘હત્યા’ ગણાવ્યું; પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની
- iran: પશ્ચિમ એશિયા કટોકટી: ‘હત્યારાઓને ટૂંક સમયમાં કિંમત ચૂકવવી પડશે’—લારીજાનીના મૃત્યુ બાદ ઈરાનના મોજતબાએ ચેતવણી આપી
- Salman khan: આકાશમાં ચંદ્ર દેખાઈ શક્યો નહીં…’ સલમાનનું રમુજી ટ્વીટ; માતૃભૂમિ ગીતનો વીડિયો શેર કર્યો
- trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેલના ભાવ ઘટાડવા માટે જોન્સ કાયદાને 60 દિવસની છૂટ આપી: જાણો આ કાયદો શું છે
- IPL 2026: એમએસ ધોની કે રોહિત શર્મા નહીં – આ કેપ્ટન IPLમાં શ્રેષ્ઠ રેકોર્ડ ધરાવે છે





