Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- સંઘર્ષમાં ઘણા નેતાઓ અને કાર્યકરો ગુમાવ્યા,” ચૂંટણીમાં વિજય પછી BNP જનતાનો આભાર વ્યક્ત કરે છે
- Switzerland માં રહેવું હવે સરળ રહેશે નહીં, જીનીવા કડક વસ્તી કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહ્યું છે
- Ambani: અંબાણીને એક ખજાનો મળ્યો છે, તે રશિયાને બદલે આ દેશમાંથી ક્રૂડ ઓઇલ મેળવશે
- Pannu: આતંકવાદી પન્નુની હત્યાના કાવતરામાં નિખિલ ગુપ્તાએ દોષિત ઠેરવ્યો; યુએસ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે
- Passport: ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો, 56 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ





