Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Rajkot: 1 કરોડના સોનાની ચોરી, બંગાળી કારીગર ફરાર, ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ
- Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં નવી મગફળીની અઢળક આવક, ભાવમાં તેજીની આશા
- Gold price: સોનાના ભાવ આસમાને પહોંચ્યા, ભાવ 1.10 લાખથી વધુ
- Surat: યુફોરિયા હોટલમાં દોઢ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
- Sports: ભારતીય સ્કેટર આનંદકુમાર વેલકુમારે વિશ્વ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો, પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો