Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Gas pipeline : ઉર્જા ક્ષેત્રમાં અમેરિકાને ખુલ્લો પડકાર, ચીન-રશિયા વચ્ચે સાઇબિરીયા ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર
- Pawan singh ની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો… વીડિયો વિવાદ પછી, હવે વારાણસીમાં કેસ નોંધવામાં આવ્યો છે
- Maratha aarakshan: મરાઠા અનામત પર 120 કલાક ચાલેલું આંદોલન સમાપ્ત થયું, સરકારે જરાંગેની કઈ માંગણી સ્વીકારી?
- Vaibhav: શું તે ૧૪ વર્ષનો છે કે નહીં? ટીમ ઈન્ડિયાના બેટ્સમેને વૈભવ સૂર્યવંશી પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા
- Israelની ગાઝા સિટી પર મોટો હુમલો કરવાની યોજના, અનામત સૈનિકોને બોલાવી રહ્યું છે