Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- Corona: રોગચાળાના નિષ્ણાતના શબ્દો સાચા સાબિત થયા, સક્રિય કેસ ઘટવા લાગ્યા; પરંતુ હજુ પણ આ ધ્યાનમાં રાખો
- Indonesia: ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો, ચેતવણી જારી
- Ravi Shashtri: આ બેટ્સમેનને ત્રીજા નંબર પર રમતા જોવા માંગે છે, ટીમ કોમ્બિનેશન પર પોતાનો અભિપ્રાય આપ્યો
- Irani actress: 90 લાખ લોકો ક્યાં જશે? ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાની અભિનેત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો
- Lord Jagannath: મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે?