Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- Trump: ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંક્યો, ફિલિપાઇન્સ-ઇરાક સહિત આ 6 દેશો પર 30% સુધીનો ટેક્સ લગાવ્યો
- Rishabh pant: ગિલ પછી, પંત પણ આ ચર્ચામાં કૂદી પડ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલા આપ્યું મોટું નિવેદન
- Pushpa 2: પછી ફરી એકવાર અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સાથે, દીપિકા પછી શ્રીવલ્લી એટલીની ફિલ્મમાં પ્રવેશ કરશે
- Red Sea: લાલ સમુદ્રમાં હુથીઓએ ફરી જહાજ પર હુમલો કર્યો, એક ભારતીય સહિત 6 બચી ગયા; 19 ગુમ
- Islamabad: શાહબાઝ કે મુનીરનું નિવાસસ્થાન… ઇસ્લામાબાદની આ ઇમારતમાં ભારતના ત્રણ દુશ્મનો એકસાથે જોવા મળ્યા નથી, શું કંઈક રંધાઈ રહ્યું છે?