Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- સંઘર્ષમાં ઘણા નેતાઓ અને કાર્યકરો ગુમાવ્યા,” ચૂંટણીમાં વિજય પછી BNP જનતાનો આભાર વ્યક્ત કરે છે
- Switzerland માં રહેવું હવે સરળ રહેશે નહીં, જીનીવા કડક વસ્તી કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહ્યું છે
- Ambani: અંબાણીને એક ખજાનો મળ્યો છે, તે રશિયાને બદલે આ દેશમાંથી ક્રૂડ ઓઇલ મેળવશે
- Pannu: આતંકવાદી પન્નુની હત્યાના કાવતરામાં નિખિલ ગુપ્તાએ દોષિત ઠેરવ્યો; યુએસ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે
- Passport: ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો, 56 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ





