Ahmedabad: બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની તોડફોડનો મામલો સામે આવ્યો છે. સોમવારે વહેલી સવારે અજાણ્યા લોકોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું, જેના પગલે લોકોએ વિરોધ કર્યો હતો.જે આજે બીજો દિવસ થતા પણ આરોપીની ધરપકડ ના થતા બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન યથાવત્ રાખ્યું છે અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે સ્થાનિકો ખુબજ રોષે ભરાયા છે અને જ્યાં સુંધી આરોપીની ધરપકડ નહિ થાય ત્યાં સુંધી ધરણાં પ્રદર્શન ચાલુ રહેશે.

પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે અને ગુનેગારોને ઓળખવા માટે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પર ચકાસી રહ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે.રબારીએ જણાવ્યું હતું કે “અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં શ્રી કેકે શાસ્ત્રી કોલેજની સામે સ્થાપિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના નાક અને ચશ્માને સોમવારે સવારે આઠ વાગ્યા પહેલા નુકસાન થયું હતું.”

ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 196 (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 298 (કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને અશુદ્ધ કરવું)) અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે.રબારીએ કહ્યું કે પોલીસે તેમને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે