Ahmedabad : ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને હાંકી કાઢીને પોલીસે માસ્ટર માઈન્ડ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી અંગે વધુ વિગતો સામે આવી છે. અહીં ઝૂંપડામાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ ફાળવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2010ની પોલીસી પ્રમાણે લોકોને EWS આવાસ ફાળવાશે.
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન અનેક ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે.પરંતુ ત્યાં રહેતા ભારતીય નાગરિકોના ઝૂંપડા તોડી નાંખવાનો આક્ષેપ થયા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડોળામાં 2010ની પોલિસી મુજબ EWS આવાસ ફાળવાશે. અહીં 2010 પહેલાથી રહેતા લોકોને મકાન ફાળવાશે. લોકોને મકાન ફાળવવા માટે પહેલા સરવે કરવામાં આવશે. ત્યાર બાદ જ મકાનની ફાળવણી કરાશે.
ડ્રોન સર્વેની કામગીરી પણ પૂર્ણ કરાઈ
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ચાર હજાર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત ત્યાં ડ્રોન સરવેની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે. અત્યાર સુધી 1.5 લાખ ચો.મી જગ્યા ખાલી કરાવાઇ છે અને આગામી સમયમાં 2.5 લાખ ચો.મીમાં દબાણ હટાવાશે.2015માં કલેકટર ઓફિસ દ્વારા સરવે કરાયો તેમાં 8 હજાર જેટલા ઝૂપડા હતા.હાલ માં આશરે 14 હજાર જેટલા ઝૂપડા છે. જે પૈકી 4000 ઝૂપડા તોડી પડાયા છે.
આ પણ વાંચો..
- Pm Modi ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી અને વડા પ્રધાન તરીકે સેવા આપતા ચૂંટાયેલા સરકારના વડા બન્યા, 8,931 દિવસ સુધી સેવા આપી
- Bangladesh શું ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણી યોજાઈ શકે છે? બીસીબીએ અચાનક આયર્લેન્ડ પ્રવાસ કેમ મુલતવી રાખ્યો?
- Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 3 દિવસમાં 300 કરોડનો આંકડો પાર
- Ahmedabad: વસ્ત્રાપુરમાં પોલીસે એક સ્પામાં દરોડો પાડ્યો હતો, જ્યાં મસાજની આડમાં વેશ્યાવૃત્તિ ચાલતી હતી, ત્રણ રાજ્યોની છોકરીઓને બચાવી લેવામાં આવી
- Ahmedabad: આનંદનગરમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એક વ્યક્તિની ધરપકડ





