Ahmedabad: અમદાવાદમાં પોલીસની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જે બાદ સ્થાનિકોએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આરોપ લગાવ્યાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત થયા બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન સ્થાનિકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી હતી. જેના કારણે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાંથી જે સીરપની બોટલ મળી છે, તે મામલે પણ પોલીસ તપાસ કરશે અને કાયદાકીય પગલા લેશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અક્સમાત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતાં આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ લોકો પોલીસની આવી બેદરકારીભરી કામગીરી લઈને અનેકો સવાલ ઉભા કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો
- Narmada: આદિવાસી ગૌરવ દિવસે, નર્મદામાં 9700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન,2000 કરોડની કલ્યાણકારી યોજના પણ શરૂ કરાઈ
- Ahmedabad: પીડિતાએ ફરિયાદ ન કરી હોવાનું કહેતા ગુજરાત હાઇકોર્ટે પુરુષ સામેની પોક્સો FIR રદ કરી
- ISRO આ નાણાકીય વર્ષમાં અવકાશયાનનું ઉત્પાદન ત્રણ ગણું કરશે, વધુ સાત લોન્ચની તૈયારી કરી રહ્યું છે
- Morbi ના સિરામિક ઉદ્યોગને નુકસાન પહોંચાડવાની ચીનની ચાલાકી વૈશ્વિક ધોરણો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ
- Ahmedabad: બેફામ દોડતી પોલીસની જ ગાડીએ સર્જ્યો અકસ્માત, પાર્ક કરેલી કારને મારી ટક્કર





