બગસરા હાલમાં વરસાદના પગલે બગસરાથી Rajkot તેમજ બગસરા થી જામનગર જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય ડેપો ની તમામ બસો Rajkot તેમજ જામનગર તરફ જવામાં કોઈ પ્રકારનો પ્રશ્ન નડતો નથી. ત્યારે ફક્ત બગસરા ડેપોને જ રસ્તા ખરાબ અને પાણી ભરાય છે. તેમ કહી અહીંયાથી ઉપડતી બસો બંધ કરી દેવામાં આવી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

ધારીથી રાજકોટ વાયા બગસરા બસો ચાલુ, પરંતુ બગસરાના ડેપો મેનેજરે રાજકોટ જતી બસો બંધ કરી દેતા આશ્ચર્ય

આઠમું વેકેશન હાલમાં જ સાતમ આઠમ નું વેકેશન ખૂલ્યું છે જેના હિસાબે વિદ્યાર્થીઓને પરત મૂકવા વાલીઓ જવું હોય છે. તેવામાં બસો બંધ કરી દેતા લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. અન્ય ધારી ડેપો તેમજ રાજુલા ડેપો ને પણ રાજકોટ કે જામનગર જવામાં રસ્તો નડતો નથી.

ધારી ડેપો દ્વારા ધારી રાજકોટ તેમજ રાજુલા ડેપો દ્વારા રાજુલા જામનગર જેવી બસો વાયા બગસરા થઈને | જ જતી હોય છે. ત્યારે શું આ બસો ને પાણી | કે રસ્તો નડતો નથી કે ફક્ત બગસરા ડેપોની જ બસો પાણીમાં તણાય જાય છે. આવા | અનેક પ્રકારના સવાલો લોકો ઉઠી રહ્યાં છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે બગસરાથી રાજકોટ જતી તેમજ જામનગર ! જતી તમામ રૂટો ચાલુ કરવામાં આવે.