Gujarat: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગઈકાલે આભ ફાટયું હોય એવા ૧૫ થી ૨૦ ઈંચ અનરાધાર વરસાદથી પ્રચંડ જળબંબાકાર થઈ ગયો હતો, જેના પગલે કોસ્ટગાર્ડ અને આર્મીનાં જવાનો મદદે આવ્યા હતા. |

Gujarat: જેમણે બે સ્થળેથી ૧૨ લોકોનાં રેસ્કયૂ કરીને નવજીવન આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાત્રણ દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કલેકટર જી.ટી. પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના લીધે પાણીના પ્રવાહ ધૂમથર ગામેથી ૪ વ્યક્તિઓને કોસ્ટગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત | મદદ પહોંચાડવામાં આવી રહી છે.

બીજી તરફ જોડિયા વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ અને ઊંડ-૨ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે છેલ્લા ત્રણ દિવસથી જોડિયાના સતાપર સીમ વિસ્તારમાં ચારેય તરફ પાણીની વચ્ચે ફસાયેલા ૧ પુરૂષ, ૧ સ્ત્રી અને ૬ બાળકો સહિત કુલ ૮ વ્યક્તિના ખેતમજૂર પરિવારને આજે બપોરે આર્મીની ટીમ અને વહિવટી તંત્ર દ્વારા રેસ્કયૂ કરી | । સલામત સ્થળે ખસેડવાની કામગીરી પાર મામલતદાર એમ.એમ. કવાડિયાએ જણાવ્યું હતું કે, આ અગાઉ એસડીઆરએફ અને કાલાવફ ફાયર બ્રિગેડ દ્વારા બચાવકાર્ય હાથ ધરાયુ હતું. પરંતુ સફળતા મળેલ ન હતી.

જિલ્લા કલેકટર દ્વારા મોકલાયેલી આર્મીની ટીમે પ્રાંત અધિકારી સાકરીયાના માર્ગદર્શન હેઠળ રેસ્કયૂ ઓપરેશન પાર પાડયું હતું. આજે ઊંડ- ૨ ડેમ ખુલ્લા દરવાજા બંધ કરાતા જળપ્રવાહમાં ઘટાડો થતાંની સાથે જ આર્મીની ટીમે નદી પાર કરી સામે કાંઠે ૧ કિ.મી જેટલા દૂર ખેતરમાં ફસાયેલા પરિવારને પરત લાવી સૌ પ્રથમ જોડિયા રેફલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં પરિવાર સ્વસ્થ જણાતા રજા અપાતા સલામત સ્થળે આશરો આપવાની વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના પાડવામાં આવી હતી. જોડિયા કાર્યવાહી કરવામાં આવી હતી. જોડિયાનાં સતાપર સીમ વિસ્તારમાં આર્મીનાં જવાનોએ નદી ઓળંગીને છબાળકો સહિતનાં ખેતમજૂર પરિવાર સુધી પહોંચી હેમખેમ પરત લાવ્યા