Bangladeshમાં રવિવારે ફરી શરૂ થયેલી હિંસા મંગળવારે પણ ચાલુ રહી હતી. બાંગ્લાદેશમાં એક ઇન્ડોનેશિયન નાગરિક સહિત ઓછામાં ઓછા 24 લોકોને ટોળાએ જીવતા સળગાવી દીધા હતા. બાંગ્લાદેશમાં હિંસા થઈ ત્યારથી લોકો અવામી લીગ પાર્ટીના એક નેતાની હોટલમાં રોકાયા હતા.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાર્ટીના નેતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. સ્થાનિક પત્રકારો અને હોસ્પિટલના સૂત્રોએ મંગળવારે માહિતી આપી હતી કે સોમવારે સવારે લગભગ 1 વાગ્યા પછી અજાણ્યા લોકોએ આવીને હોટલને આગ ચાંપી દીધી હતી, જેમાં 24 લોકોના મોત થયા હતા.

ઘણા મૃતદેહો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે
સૂત્રોએ જણાવ્યું કે મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે. તેમણે કહ્યું કે જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી છે કે તેઓએ 24 મૃતદેહો ગણ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફને ભય હતો કે કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે.

આગ નીચેથી શરૂ થઈ, ઉપર સુધી ફેલાઈ ગઈ
અવામી લીગ સરકારનો વિરોધ કરતા ગુસ્સે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી દીધી અને તે જલ્દી જ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ.

કસાથ સરકારી મકાનો પર તોડફોડ
લગભગ સમાન અહેવાલો સમગ્ર બાંગ્લાદેશમાંથી આવ્યા છે જ્યાં ગુસ્સે ટોળાએ વારાફરતી અવામી લીગના ઘણા નેતાઓ અને કાર્યકરોના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરી હતી.