Nepal Plane Crash: નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. આમાં અનેક જાનહાનિ થયાના અહેવાલ છે. નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર સૌરી એરલાઇન્સના વિમાનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પોખરા જતું પ્લેન ટેકઓફ દરમિયાન રનવેથી બહાર જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર, કાઠમંડુ એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે ડોમેસ્ટિક એરલાઇન સૌર્યનું પ્લેન ક્રેશ થયું અને આગ લાગી, તેમાં 19 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સ્થળ પરથી 5 મૃતદેહ મળી આવ્યા છે. કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ધુમાડાના ગાઢ વાદળો જોવા મળ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે.