મોરબી શહેરમાં આવતીકાલે તારીખ 4 મે ને શનિવારના રોજ વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં યોજાનાર જાહેર સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે. વિનોદ ચાવડાના સમર્થનમાં ઉમા ટાઉનશિપ ખાતે જાહેર સભા યોજાશે.

કચ્છ-મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં આવતીકાલે 4 મે ને શનિવારે રાત્રે 9-30 કલાકે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર માટે ઉપસ્થિત રહેશે. તો આ જાહેર સભામાં પધારવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પધારવા આમંત્રણ પાઠવ્યું છે.