Ahmedabad: અમદાવાદમાં પોલીસની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જે બાદ સ્થાનિકોએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આરોપ લગાવ્યાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત થયા બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન સ્થાનિકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી હતી. જેના કારણે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાંથી જે સીરપની બોટલ મળી છે, તે મામલે પણ પોલીસ તપાસ કરશે અને કાયદાકીય પગલા લેશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અક્સમાત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતાં આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ લોકો પોલીસની આવી બેદરકારીભરી કામગીરી લઈને અનેકો સવાલ ઉભા કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
- HPV રસી વિશેની 5 મુખ્ય માન્યતાઓ અને તે શા માટે જરૂરી છે તેનું ડોક્ટરોએ ખંડન કર્યું.
- Ekta Kapoor: શું ‘બિગ બોસ 19’ ફેમ તાન્યા મિત્તલને એકતા કપૂર પાસેથી OTT પ્રોજેક્ટ મળ્યો છે? તેણીએ લગ્ન વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.





