Horrible accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના 6 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે અને તે તમામ લોકોની હાલત ગંભીર છે.
માહિતી મુજબ, આ દૂર્ઘટના રવિવાર સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામમાં બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાલુઓ એક ટેમ્પોમાં જોધપુર રામદેવરા જતાં હતા. આ દરમિયાન તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે જોશભેર અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, 3 મહિલાઓના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં કૂલ 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ લોકોને બાલેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલ્યા બાદમાં તેમને જોધપુરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોની ઓળખ
આ ગમખ્વાર અકસ્માત બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નવ્યા (3 વર્ષ), ભૂપત સિંહ (40 વર્ષ) અને કાશિયા બાઈ (60 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં 14 ઘાયલો MDM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું છે.
આ પણ વાંચો
- saudi: સાઉદી અરેબિયાની મુખ્ય ઓઈલ પાઈપલાઈન બંધ: યમનમાં હુથી લડવૈયાઓ સાથેના સંઘર્ષ વચ્ચે ચિંતા વધી; નિકાસ અંગે સરકારે શું કહ્યું?
- BRICS દ્વારા સંયુક્ત રાષ્ટ્રના આગામી મહાસચિવથી લઈને ગાઝા અને પરમાણુ જોખમો જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા
- brics: વૈશ્વિક નેતાઓએ ભારતીય ભોજનનો આનંદ માણ્યો: બાજરીના પુલાવથી લઈને જલેબી સુધી – મેનૂમાં શું હતું?
- Hanuman ansh: ‘હનુમાન અંશ’: શું નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મે ₹100 કરોડની OTT ડીલ મેળવી? નિર્માતા રાગિનીએ સત્ય જાહેર કર્યું
- IRCTCનો નવો રેકોર્ડ: એક જ દિવસમાં ૨૦ લાખથી વધુ ટિકિટો બુક થઈ; જાણો કેવી રીતે શક્ય બન્યું




