Kutch: જિલ્લાના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં એક રૂદ્રાક્ષ કેમિકલ કંપનીમાં શનિવારે (4 ઓક્ટોબર) મોટી દૂર્ધટના સર્જાઈ છે. જેમાં કંપનીમાં કામ કરતાં બે શ્રમિકો ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી દરમિયાન નીચે પડતાં તેમના મોત ઘટનાસ્થળે જ થયા હતા.
પ્રાથમિક માહિતી દરમિયાન 28 વર્ષિય ચંદન દિલીપ દાસ અને 30 વર્ષીય પ્રણબ ડીંડા નામના બે શ્રમિકો કંપનીમાં આવેલી પાણીની ટાંકી પર વેલ્ડીંગનું કામ કરવા ચઢ્યા હતા. આ દરમિયાન ટાંકીની આસપાક પાણી ઢોળાયેલું હોવાથી બંનેનો પગ લપસ્યો હતો અને જોશભેર નીચે પટકાયા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી કંપનીના અન્ય કર્મચારીઓ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ?? સહિતની પ્રશ્નોને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી