Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- મંત્રી સુરેન્દ્રનગર માં આવતા હોય અને સુરેન્દ્રનગરની વાત જ ન કરે તો એમનું કામ શું?: Vikram Dave AAP
- Rajkot:બેંક જ ના રહી સુરક્ષિત! ઇન્ડિયન બેંકમાંથી ગ્રાહકનું 1 કિલોગ્રામ સોનું ગાયબ, બે અધિકારીઓ સામે કાર્યવાહી
- Surat: કળિયુગની વહુએ સાસુને દરેક દાણા માટે તરસાવી, દીકરાએ પણ તરછોડી; પોલીસની સામે પણ બોલિયા ગાળો
- Ahmedabad: T20 મેચને કારણે 19 ડિસેમ્બરે મધ્યરાત્રિ સુધી દોડશે મેટ્રો ટ્રેનો
- Gujaratના આ સ્ટેશનથી દિલ્હી માટે નવી ક્રિસમસ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત, આ સ્થળોએ સ્ટોપ સાથે દોડશે





