Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- Meloni and macron: મેક્રોને ઇટાલીના પીએમના કાનમાં કંઈક કહ્યું, આ સાંભળીને મેક્રોને આ પ્રતિક્રિયા આપી; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- Sarfaraz Khan: ભારતનો આ સ્ટાર ખેલાડી ઇંગ્લેન્ડથી પાછો ફર્યો, પોતે માહિતી શેર કરી
- Trump: ટ્રમ્પ ફોન જ નહીં, તેઓ અનલિમિટેડ 5G પ્લાન પણ આપશે, તેની કિંમત કેટલી હશે
- Akhilesh Yadav: યુપીમાં ભારત ગઠબંધન વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે; બેઠકો પર સર્વસંમતિ સધાશે
- Uorfi Javed: ધ ટ્રેટર્સ’ના વિજેતાનું નામ લીક! ઉર્ફી જાવેદે ભૂલથી ખુલાસો કર્યો, પછી પોસ્ટ ડિલીટ કરી