Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Horoscope: 7 ફેબ્રુઆરી 2026 ના રોજ 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- Mumbai માં લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરી રહ્યું છે, જેમાં 210 મુસાફરોએ શ્વાસ રોકી રાખ્યા
- Silver: ચાંદીના ભાવમાં ₹13,000નો તીવ્ર ઘટાડો, સોનું પણ ઘટ્યું; જાણો શું ચાલી રહ્યું છે વૈશ્વિક બજારમાં
- Naxalite: ગઢચિરોલી એન્કાઉન્ટરમાં નક્સલી પ્રભાકર માર્યો ગયો; ત્રણ મહિલાઓ સહિત 7 માઓવાદીઓ માર્યા ગયા
- Agni: ભારતે અગ્નિ-૩, એક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું





