Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Malaysia: કંબોડિયા અને થાઈલેન્ડ યુદ્ધમાં યુએન સાથે સમાધાન કરવા માટે મુસ્લિમ દેશ આગળ આવ્યો
- Russia: VPN વાપરનારાઓ મુશ્કેલીમાં છે…. રશિયન સરકારનો નવો હુકમ, પ્રતિબંધિત સામગ્રી જોવા બદલ આ સજા આપવામાં આવશે
- Asia cup 2025: ભારત-પાકિસ્તાન ગ્રુપમાં આ 2 ટીમો, ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ જુઓ
- China: બેઇજિંગમાં પાણી ભરાયા! 24 કલાકમાં વર્ષભરનો વરસાદ, પુલ તૂટ્યા, રસ્તા ડૂબી ગયા, હજારો લોકો બેઘર
- Mumbai: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બેકાબૂ ટ્રેલરે 20 વાહનોને ટક્કર મારી; 4 લોકોના મોત