Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Vadodara: કોર્ટ રૂમમાં મહિલા ઇન્સ્પેક્ટરે વકીલને માર્યો લાફો, જાણો સમગ્ર મામલો
- Ahmedabad: કિશોરીનું અપહરણ કરવાના આરોપમાં બે મહિલાઓ સહિત ત્રણની ધરપકડ, ચાર આરોપીની શોધ ચાલુ
- Gujarat પેટાચૂંટણી માટે આ બે બેઠકો પર ત્રિકોણીય થશે મુકાબલો; AAP, BJP અને કોંગ્રેસમાંથી કોણ?
- Gujaratના કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક બનાવવામાં આવશે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક, શું ખાસ હશે
- Suratમાં કેરી ચોરીની શંકામાં પ્લાન્ટેશન કામદારની માર મારી હત્યા, લાશ નહેરમાં ફેંકી દીધી