Jamnagar : વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર 24માં રહેતા એક ઢોલી ના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના વાલ્મિકી બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્ની ને તેણીના કુટુંબી ને ઘેર મૂકી આવ્યા હતા.

દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 10,500 ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,700ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Mumbai: મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનોના પાંખો અથડાયા, બધા મુસાફરો સુરક્ષિત
- Rahul Gandhi ઓમ બિરલાને લખે છે: “તમે મને સરકારના ઇશારે બોલતા અટકાવ્યો, આ લોકશાહી પર કાળો ડાઘ છે.”
- Bangladesh શું નકવી ૧૨ ફેબ્રુઆરી પછી પોતાના નિર્ણય પર યુ-ટર્ન લેશે? શું મેચનો બહિષ્કાર બાંગ્લાદેશની ચૂંટણી સાથે જોડાયેલો છે?
- Yuzi Chahal: લોકો યુઝવેન્દ્ર ચહલની ટીકા કરી રહ્યા છે, તેનું કારણ 25 સેકન્ડનો વીડિયો
- Rajpal Yadav: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી. દિલ્હી હાઈકોર્ટે તેમના શરણાગતિનો આદેશ કેમ આપ્યો?





