Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- pm modi: પીએમ કેર્સ ફંડમાં કેટલા પૈસા છે? સંપૂર્ણ આંકડા, રેકોર્ડ સેટ, ભંડોળના સ્ત્રોતો અને ખર્ચની વિગતો.
- SC: શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: વાટાઘાટો નિષ્ફળ; હિન્દુ પક્ષે જાહેર કર્યું કે તેઓ મસ્જિદ માટે એક ઇંચ પણ જમીન નહીં આપે
- Trump: ટ્રમ્પે શેર કરેલા નકશામાં દુબઈ (યુએઈ) અને કેશ્મ (ઈરાન) ને અમેરિકાનો પ્રદેશ ગણાવ્યો છે
- sonakshi sinha; સોનાક્ષીના ટ્રોલ થવા પર શત્રુઘ્ન સિંહાએ ભાજપ આઈટી સેલ પર નિશાન સાધ્યું; તેમની પુત્રીના રાજકારણમાં પ્રવેશવાની શક્યતા પર વાત કરી
- imran khan: ઇમરાન ખાનનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે લથડ્યું છે; ફેફસાં અને કિડની સ્થિર છે – મેડિકલ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તે અહીં છે




