Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- Ahmedabad: ટેટૂએ ઉકેલ્યો ભેદ, ૧૫ વર્ષ પછી ખોવાયેલા વ્યક્તિનું પરિવાર, બાળપણના મિત્ર સાથે પુનઃમિલન
- Gujarat: નમો લક્ષ્મી યોજના હેઠળ ધો-9થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000ની સહાય
- Aslaliમાં પતિ બન્યો હેવાન, પત્નીની કરી હત્યા પાછી આત્મહત્યા તરીકે રજૂ કરવા ઘડ્યું કાવતરું
- Horoscope: કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો ફક્ત એક ક્લિક પર
- Ukraine; યુરોપમાં ફરી તણાવ વધ્યો, રશિયન ડ્રોન હુમલા બાદ પોલેન્ડમાં હવાઈ હુમલાની ચેતવણી, રોમાનિયાએ પણ ફાઇટર જેટ ઉતાર્યા