Jamnagar : ગાંધીનગર- મોમાઈનગર વિસ્તારમાં શાળા નંબર 50ની પાસે નદીના વહેણના નિકાલ માટેની જામનગર મહાનગરપાલિકાના ની જગ્યામાં ત્રણ આસામીઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું, અને આશરે 3000 ફૂટ જગ્યામાં ત્રણ મકાનો ખડકી દેવાયા હતા.

છેલ્લા પાંચ વર્ષથી આ દબાણો ઊભા કરી દેવાયા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાનમાં આવ્યું હતું, અને જે મકાનો ના કારણે નદીનો પ્રવાહ પણ રોકાઈ જતો હોવાની જાણકારી મળી હતી.

જેથી ત્રણેય આસામીઓને મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખુલી કરાવી દેવા માટેની નોટિસ પાઠવી દેવાઈ હતી. જેની આખરી નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી મુકેશભાઈ ગોસાઈ, હરેશ વાણીયા તથા નીતિનભાઈ મહેતા સહિતના અધિકારીઓની ટીમ ૫૦ જેટલા એસ્ટેટ શાખા સ્ટાફ ને સાથે રાખીને આજે વહેલી સવારે ડીમોલેશન માટે પહોંચ્યા હતા, જે સમયે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અને સીટી બી. ડિવિઝનની મોટી પોલીસ ટુકડી જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા, જેનો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ત્રણ જેસીબી મશીન, બ્રેકર મશીન, જનરેટર, ટ્રેકટર સહિતની તમામ સામગ્રીઓ સાથે રાખીને ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું અને અંદાજે 3000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેથી આગામી સમયમાં ચોમાસા દરમિયાન નદીના પાણીના પ્રવાહ ને વાળવામાં પણ મુક્તિ મળશે, તેમ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો..
- Pm Modi બાંગ્લાદેશ જશે નહીં; લોકસભા સ્પીકર હવે તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- Congress: કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા… શાહે રાહુલને પડકાર ફેંકતા કહ્યું, “કોઈ પણ મંચ પર આવો.”
- Jai somnath: સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાએ ‘જય સોમનાથ’ માટે સાથે મળીને કામ કર્યું છે; ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જાણો
- T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે શ્રીલંકાએ આપ્યું લેટેસ્ટ અપડેટ, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર!
- Surendranagar: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી





