Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- US પાકિસ્તાનને કેમ અપનાવી રહ્યું છે? ભૂતપૂર્વ CIA અધિકારી એ કર્યો મોટો ખુલાસો
- Sri Ramayana Yatra : રામ ભક્તો માટે ખાસ તક, 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો
- Shubman Gill નું શાનદાર ફોર્મ ચાલુ, સતત સદી ફટકારી, સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
- Kapil Sharma એ 63 દિવસમાં 11 કિલો વજન ઘટાડ્યું, ફિટનેસ કોચે જણાવ્યું રહસ્ય, જાણો આ ખાસ ફોર્મ્યુલા
- Jasprit Bumrah: મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ સાથે નબળા પડી ગયા, ચોંકાવનારી હકીકત જાણો