Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- Petrol: દેશમાં કોઈ પણ પેટ્રોલ પંપ પર તેલ ખતમ થયું નથી,” પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું, “ગભરાવાની કોઈ જરૂર નથી.”
- ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની પસંદગી કરશે
- chinaનો નવો લઘુમતી કાયદો કેમ ખતરનાક છે; તે સમુદાયોની ઓળખને નબળી પાડશે
- Share market: આ 5 કારણોથી શેરબજારમાં કડાકો બોલાયો, રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા!
- mig-29: એર ચીફ માર્શલે બહુ-ભૂમિકા ફાઇટર વિમાનમાં એકલા ઉડાન ભરી, વાયુસેના દ્વારા શક્તિનું પ્રદર્શન





