Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- france: ફ્રાન્સમાં G7 દરમિયાન મોદી-ટ્રમ્પ મુલાકાતની પુષ્ટિ
- trump: યુએસનો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાનું વચન આપે છે – કરાર અપેક્ષા કરતાં વહેલા થઈ શકે છે
- hormuz: કટોકટીમાં વિજેતાઓ: હોર્મુઝ સ્ટ્રેટનું બંધ થવું ચોક્કસ રાષ્ટ્રો માટે કેવી રીતે વરદાન બન્યું
- pakistan: પાકિસ્તાનનો પોતાનો અહેવાલ: ગરીબીમાં લગભગ 10 માંથી 3 નાગરિક; શિક્ષણ પર ખર્ચ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે
- PM modi: ફ્રાન્સ અને સ્લોવાકિયા માટે રવાના: G-7, દ્વિપક્ષીય વાટાઘાટો, અને એજન્ડા પર એક ઐતિહાસિક પહેલ




