Rajkot : જિલ્લામાં ભર ઉનાળે સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી વાતાવરણમાં આવેલ પલટા થી ચોમાસા જેવા વાતાવરણ સર્જાયા અને ભારે ભવનો સાથે કરા પડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોએ મોટી આશાએ કરેલ ઉનાળુ ખેતીના વાવેતર માં બાજરી મગ તલ ઘાસચારા અને ડુંગળીના પાકોને ભારે નુકસાન થયું છે.
ભારે ભવનો સાથે આવેલા વરસાદથી બાગાયતી પાકુ કેળા પપૈયા અને કેરીના પાકો તેમજ ફડાવ ઝાડના કાચા ફળો પડી ગયા છે અને બાગાયતી પાકોના ઝાડ ભાંગી પાક નિષ્ફળ થયા છે.
આ કમોસમી વાવઠા ના વરસાદથી ખેડૂતોને ખેતીમાં કરોડો રૂપિયાની નુકસાની થયેલ છે ખેડૂતોને થયેલી નુકસાની અંગે ગુજરાત કિસાન સભાની રાજકોટ જિલ્લા સમિતિની બેઠક કારાભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી તેમાં ખેડૂતોના ઉનાળુ ખેતીના પાકો અંગે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી પડેલા વરસાદ અને સાથે ભારે ભવનો અને કરાથી ખેતીના પાકો બળી ગયા છે
આ પણ વાંચો..
- Ahmedabad ના વરિષ્ઠ નાગરિક સાથે ઓનલાઈન રોકાણ કૌભાંડમાં ₹35 લાખની છેતરપિંડી
- Trumpના ભાષણ દરમિયાન ઇઝરાયલી સંસદમાં હોબાળો મચી ગયો, જેમાં બે સાંસદોએ વિરોધ કર્યો
- Anita Anand: ભારત-કેનેડા વેપાર સંબંધોમાં પરિવર્તન જોવા મળશે,” અનિતા આનંદની નવી દિલ્હી મુલાકાત અંગે નિષ્ણાતો
- Jaishankar: જયશંકર-આનંદ બેઠકમાં ભારત-કેનેડા સંબંધોમાં ઉષ્માનો નવો માહોલ, નવો રોડમેપ તૈયાર
- Nobel prize: જોએલ મોકિર, ફિલિપ એગિઓન અને પીટર હોવિટ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત