Rajkot : ધોરાજી શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે અને આયોજન માટે પ્રિ મોન્સુનની કામગીરી તાત્કાલીક શરૂ કરવી જોઈએ હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરો ઓવરફલો થઈ રોડ પર તેમના પાણી વહે છે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જામ થઈ ગયેલ છે.
ધોરાજી શહેરની ગટરો કચરાઓ અને માટીથી ભરાઈ ગયેલ હોય તાત્કાલિક તેની સાફ સફાઈ થવી જોઈએ અને મોટા વોકળા અને નદીઓની સાફ સફાઈના અભાવે યોગ્ય રીતે પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આયોજન બધ્ધ રીતે ભૂગર્ભ ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ વ્યવસ્થિત કરવા જોઈએ.
ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી આયોજનબધ્ધ રીતે થાય તો ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય જેથી કરીને શહેરની જનતાને ચોમાસામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સોમનો કરવો પડે નહીં આ કામગીરી માટે ધોરાજી નગરપાલિકાએ તાત્કાલીક પગલા લઈ કામગીરી આયોજનબધ્ધ રીતે શરૂ કરવા સામાજીકમ અગ્રણી કાંતીલાલ સોંદરવાએ માંગણી કરી છે.
આ પણ વાંચો..
- suneil anand: દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન; 70 વર્ષની ઉંમરે લંડનમાં અંતિમ શ્વાસ લીધા
- “ફરીથી વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી…” CJP એ સુપ્રીમ કોર્ટના આદેશ સામે વાંધો વ્યક્ત કર્યો
- pm modi: પીએમ મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી; ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનની જાહેરાત કરી
- forex: ફોરેક્સ રિઝર્વમાં મોટો ઉછાળો! માત્ર 45 દિવસમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે
- LoC પર વિસ્ફોટ, ઉરીમાં ખાણ વિસ્ફોટ; ભારતીય સેનાના બે સૈનિકો ઘાયલ




