Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- સુરતના માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : Rakesh Hirpara
- Ahmedabad: આસારામ આશ્રમ સામે ‘બુલડોઝર’ કાર્યવાહીની તૈયારી, કોર્પોરેશન 32 ગેરકાયદે બાંધકામોને તોડી પાડશે
- Ahmedabad: તું એકલી કેમ ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, પરિણીત તમન્નાને રહીમે માર્યા છરીના ઘા
- Gujarat: પોલીસ ભરતી દરમ્યાન 25 વર્ષીય યુવકનું મોત, સમયમર્યાદા પહેલા પુરી કરી હતી દોડ
- Suratમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થવાના કેસમાં પોલીસે કરી કાર્યવાહી ; સાત લોકોની થઇ ધરપકડ





