Jamnagar : તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેઓને સાથે રાખીને આજે મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા કર્યા છે. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે.

કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મ્યુનિ. કમિશનરને મળવા માટે ગયા હતા, પરંતુ કમિશનરે મળવાનો સમય નહીં આપતાં તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને રેકડી ધારકોની સાથે કમિશનર કાર્યાલય ના દ્વારે ધરણા પર બેસી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું છે.

દરમિયાન સીટી એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા મહિલા પોલીસની ટીમ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે ભારે ગરમા ગરમી થઈ હતી.
આ પણ વાંચો..
- Asia cup: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલને તક મળી, આ ખેલાડીઓને સ્થાન મળ્યું નહીં
- Tapi: ઉકાઈ ડેમ સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ટોળાનો પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસકર્મી ઘાયલ
- Women World Cup 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન; આને મળી કેપ્ટનશીપ
- Godhra: સિટી સર્વે કચેરીમાં ગેરરીતીનો ભંડાફોડ, નિયમ વિરુદ્ધના 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં ખળભળાટ
- China: ચીનના વિદેશ મંત્રી ઇસ્લામાબાદની મુલાકાત લેશે, 3 વર્ષમાં પાકિસ્તાનની પહેલી મુલાકાત