Jamnagar : તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેઓને સાથે રાખીને આજે મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા કર્યા છે. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે.

કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મ્યુનિ. કમિશનરને મળવા માટે ગયા હતા, પરંતુ કમિશનરે મળવાનો સમય નહીં આપતાં તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને રેકડી ધારકોની સાથે કમિશનર કાર્યાલય ના દ્વારે ધરણા પર બેસી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું છે.

દરમિયાન સીટી એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા મહિલા પોલીસની ટીમ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે ભારે ગરમા ગરમી થઈ હતી.
આ પણ વાંચો..
- italy: દક્ષિણ ઇટાલીના દરિયાકાંઠે મધ્યરાત્રિએ 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
- congress: કોંગ્રેસે રાજ્યસભા માટે સાત ઉમેદવારો ઉભા રાખ્યા: કર્ણાટક યાદીમાં ખડગે અને પવન ખેરા આગળ
- FEMA સમાધાનમાં ₹2.88 લાખ ચૂકવીને મિન્ત્રાએ ED તપાસનો અંત લાવ્યો
- ‘cocktail 2’ એ રિલીઝ પહેલા જ તેના બજેટનું અડધું કમાલ કરી લીધું છે
- hormuz: હોર્મુઝથી આગળ: ગલ્ફ નેશન્સ કેવી રીતે બહુ-અબજ ડોલરના ઉર્જા એક્ઝિટ રૂટ બનાવી રહ્યા છે




