Ahmedabad : સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે.
અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે.
શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ
આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો.
- crude oil: ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર; કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન ભોગવી રહી છે
- sara ali khan: વિવાદાસ્પદ નિવેદન: શું સારા અલી ખાને પાર્ટીમાં કોઈ છોકરીને ધક્કો માર્યો હતો? ઓરીએ ઘટનાને યાદ કરીને કહ્યું, “તે મારી ભૂલ નહોતી…”
- chidambaram: ‘મને બૌદ્ધિક નક્સલ કહેવાનો આનંદ છે’: ચિદમ્બરમે પીએમ મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો; તેમણે ‘અસંતુષ્ટ કાકા’ ની ટીકા વિશે શું કહ્યું?
- nepal: આપત્તિ પછી ચીન સાથે વેપાર ગતિશીલતા ખોરવાઈ ગઈ; તહેવારો પહેલા પુરવઠા સંકટનો ભય છે – અત્યાર સુધી થયેલા નુકસાનનું પ્રમાણ કેટલું છે?
- akshay kumar: શું ‘ખિલાડી’ કરીના સાથે બીજી ફિલ્મ કરશે? એક મોટો સંકેત; અભિનેતા તેના જન્મદિવસ પર ચાહકોને મળે છે




