Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- MEA: ભારત ઈરાન અને ખાડી દેશો પર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલયે કહ્યું, “બધા પક્ષોએ સંયમ રાખવો જોઈએ; વર્તમાન પડકાર કેટલો મોટો છે?”
- Pakistan: જીતવા છતાં પાકિસ્તાન હારી ગયું, સેમિફાઇનલની દોડ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું; શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ
- Lucknow: ઈરાન હુમલાથી હવાઈ ટ્રાફિક પર સીધી અસર પડી; દુબઈનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, અને લખનૌથી 17 ફ્લાઇટ્સ રદ
- Dubai ના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બુર્જ ખલીફા ખાલી કરાવાયા
- Sanjay kapoor ની હજારો કરોડની સંપત્તિ પર કૌટુંબિક ઝઘડો: દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, વસિયતનામા 10 માર્ચે ખુલશે





