Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- મગરને વહેલામાં વહેલી તકે પકડીને નર્મદાના ઊંડાણ વિસ્તારમાં છોડવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય સહાય ચૂકવવામાં આવે: Niranjan Vasava AAP
- તે બધાને એકલા છોડીને ચાલ્યો ગયો…મિત્રના મોત પર ભાવુક પોસ્ટ, 5 કલાક બાદ ‘Gujju Love Guru’નું પણ મોત
- Daman: પાણીની ટાંકી પર ચઢ્યો યુવાન; રેલિંગ સાથે લટકતો રહ્યો યુવાન, 3 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- Junagadh: રાત્રિનો સમય, વરસાદ અને… અચાનક રસ્તા પર 6 સિંહો આવી ગયા
- Navsari કોંગ્રેસનો મોંઘવારી વિરોધ, ત્રણ કલાકમાં 1,500 કિલો ખાંડ વેચાઈ




