Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Chhota Udaipur: બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં અંધાધૂંધી, અગ્નિ સલામતીના પગલાંનો અભાવ
- Patan: એક ફ્લેટમાં એસી ફાટવાથી આગ લાગી, જેમાં સૂતેલી મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત થયું.
- Mehsana: બે દિવસમાં 6 લોકોના મોત, માતા, પુત્રી અને પૌત્રીએ નહેરમાં કૂદી પડ્યા, 3 બાળકો ટ્રેન નીચે કચડાયા
- Narmada: રાજપીપળામાં તીતીના ઈંડાના આધારે વરસાદની આગાહી, જાણો ચોમાસું કેવું રહેશે?
- Anand: ઉમરેઠના કાલસર ગામ પાસે મહી કેનાલમાં કૂદીને એક દંપતીએ આત્મહત્યા કરી, પોલીસ આ મામલે તપાસ હાથ ધરી




