Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Nemar: નેમાર પાસે ૮૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે, અજાણ્યા વ્યક્તિએ તેને વારસદાર બનાવ્યો, ક્યારેય મળ્યો નથી
- BCCI એ 400 કરોડથી વધુ કમાણી કરવાની યોજના બનાવી, એશિયા કપ પહેલા મોટો નિર્ણય લીધો
- Venezuela: અમેરિકા ઇચ્છે તો પણ આ ચીની ફોનને હેક કરી શકતું નથી… વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ આવું કેમ કહ્યું?
- Entertainment: બિગ બોસ 19ના ઘરમાં ઝપાઝપી, મૃદુલ તિવારીના નાકમાંથી લોહી નીકળ્યું
- Surat: ગણેશ વિસર્જન નિમિત્તે બસ સેવા બંધ, પાલિકાનો મહત્વનો નિર્ણય, મુસાફરોને અપીલ