Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Ahmedabad: શહેરના 3,000 ખાડા ત્રણ દિવસમાં દૂર કરો: AMC કમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો
- Gandhinagar: 4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટ
- Surat Flood: કરોડોની કિંમતની સાડીઓ પાણીમાં ડૂબી ગઈ, દુકાનદારોને કિલોના ભાવે વેચવા થયા મજબુર
- Suratમાં દેશનું પહેલું સૌર ઉર્જાથી ચાલતું બસ સ્ટેશન, જાણો શું છે અલથાણ પ્રોજેક્ટ?
- Operation Sindoor પછી વધી ડ્રોનની માંગ, Surat સ્થિત કંપની બનાવી રહી છે હુમલો કરનાર ‘ત્રિકાલ’ ડ્રોન