Ahmedabad : ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને હાંકી કાઢીને પોલીસે માસ્ટર માઈન્ડ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી અંગે વધુ વિગતો સામે આવી છે. અહીં ઝૂંપડામાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ ફાળવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2010ની પોલીસી પ્રમાણે લોકોને EWS આવાસ ફાળવાશે.
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન અનેક ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે.પરંતુ ત્યાં રહેતા ભારતીય નાગરિકોના ઝૂંપડા તોડી નાંખવાનો આક્ષેપ થયા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડોળામાં 2010ની પોલિસી મુજબ EWS આવાસ ફાળવાશે. અહીં 2010 પહેલાથી રહેતા લોકોને મકાન ફાળવાશે. લોકોને મકાન ફાળવવા માટે પહેલા સરવે કરવામાં આવશે. ત્યાર બાદ જ મકાનની ફાળવણી કરાશે.
ડ્રોન સર્વેની કામગીરી પણ પૂર્ણ કરાઈ
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ચાર હજાર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત ત્યાં ડ્રોન સરવેની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે. અત્યાર સુધી 1.5 લાખ ચો.મી જગ્યા ખાલી કરાવાઇ છે અને આગામી સમયમાં 2.5 લાખ ચો.મીમાં દબાણ હટાવાશે.2015માં કલેકટર ઓફિસ દ્વારા સરવે કરાયો તેમાં 8 હજાર જેટલા ઝૂપડા હતા.હાલ માં આશરે 14 હજાર જેટલા ઝૂપડા છે. જે પૈકી 4000 ઝૂપડા તોડી પડાયા છે.
આ પણ વાંચો..
- Weather update: મધ્ય ગુજરાતમાં મેઘરાજનું ધમાકેદાર આગમન, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ
- Vadodara Crime: રાત્રે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ માસૂમની કરી હત્યા, પછી મૃતદેહને નહેરમાં ફેંકી દીધો
- Ahmedabad: શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત, બેદરકારીનો આરોપ લગાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો
- Chhota Udaipur: પાવીજેતપુરના સિહોદ પાસે હળવા વરસાદને કારણે રૂટ બદલાયો, ભારે વાહનોની અવરજવર બંધ!
- Pink Tax: મહિલાઓ માટે મોટી રાહત, આ દેશે ‘પિંક ટેક્સ’ નાબૂદ કર્યો, સેનિટરી પેડ્સ અને ગર્ભનિરોધક કરમુક્ત રહેશે




