India Pakistan War : પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરતાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ મીસાઈલને તોડી પાડી હતી.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર ગુજરાતના એક મહત્વપૂર્ણ બંદર પર તમામ કામકાજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાને નકારી શકાય તેમ નથી.આ પરિસ્થિતિની અસર હવે ભારતના પશ્ચિમ કિનારે, ખાસ કરીને ગુજરાતના બંદરો પર પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા અદાણી પોર્ટ પર તમામ કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને અને સુરક્ષાના કારણોસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટ ભારતનું એક વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વનું બંદર છે. પાકિસ્તાન સાથેના તણાવને જોતા, દરિયાઈ સીમા પર અને બંદરોની સુરક્ષા વધારવામાં આવી છે. આ નિર્ણય દરિયાઈ માર્ગે કોઈપણ સંભવિત ઘૂસણખોરી કે હુમલાના પ્રયાસને રોકવા માટે લેવાયેલા સાવચેતીના પગલાનો એક ભાગ છે. પોર્ટ પર તમામ પ્રકારના લોડિંગ અને અનલોડિંગ સહિતના કામકાજ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
આ પણ વાંચો..
- Asthi visarjan: મૃત્યુ પછી રાખને પાણીમાં વિસર્જન કરવું કેમ જરૂરી છે? જાણો શાસ્ત્રો શું કહે છે
- South Korea, અમેરિકા અને જાપાને ઉત્તર કોરિયાના નાક નીચે એક મોટું કૌભાંડ કરી ને બતાવી તાકાત
- Tanvi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘તન્વી ધ ગ્રેટ’ ફિલ્મ જોઈ, અનુપમ ખેર અને ફિલ્મના કલાકારો હાજર રહ્યા
- Iran એ ફ્રેન્ચ-જર્મન નાગરિક સાયકલ સવારની અટકાયત કરી, કારણ જાણો
- Chirag Paswan: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી, મહિલા યુટ્યુબરના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો