Vadodara : ભારતે એક તરફ મંગળવારની મધરાતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરુપે રાત્રે 7.30 થી 8 દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાઝ બતાવીને પાલન કર્યું હતું. સોશિય મીડિયા પર પણ લોકોએ બ્લેક આઉટ રાખવા માટે અપીલ કરી હતી.જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે, એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોર્ડિંગની જ એલઈડી લાઈટ ચાલું જોવા મળી હતી.સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઈમારતો પર લગાડાયેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પરની લાઈટો પણ ચાલુ હતી.
સાઈરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઈટ બંધ કરીને ઉભું રહી જવાનું હોય છે પણ બ્લેક આઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઈટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી.શહેરમાં આજે 45 જગ્યાએ સાયરન વાગવાના હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 1971ના યુધ્ધ વખતે બ્લેક આઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટે જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી.
આ પણ વાંચો.
- Pakistan યુદ્ધ માટે તૈયાર છે, જમ્મુથી જેસલમેર સુધી હુમલો કરવાનો પ્રયાસ
- India-Pakistan war: ચાંદીપુર DRDO કેમ્પસમાં ઇમરજન્સી મીટિંગ, તુર્કીનું કાર્ગો વિમાન કરાચી પહોંચ્યું
- India-Pakistan war: ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વધુ વણસી જતાં કચ્છ નજીક 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા, અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ
- India-Pakistan: જમ્મુ, ઉધમપુરમાં પાકિસ્તાનો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
- India Pakistan War : ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો – લાહોર, સિયાલકોટ, ફૈસલાબાદ, મુલતાનની સંરક્ષણ પ્રણાલીઓનો નાશ થયો