Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- pm modi: પીએમ કેર્સ ફંડમાં કેટલા પૈસા છે? સંપૂર્ણ આંકડા, રેકોર્ડ સેટ, ભંડોળના સ્ત્રોતો અને ખર્ચની વિગતો.
- SC: શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: વાટાઘાટો નિષ્ફળ; હિન્દુ પક્ષે જાહેર કર્યું કે તેઓ મસ્જિદ માટે એક ઇંચ પણ જમીન નહીં આપે
- Trump: ટ્રમ્પે શેર કરેલા નકશામાં દુબઈ (યુએઈ) અને કેશ્મ (ઈરાન) ને અમેરિકાનો પ્રદેશ ગણાવ્યો છે
- sonakshi sinha; સોનાક્ષીના ટ્રોલ થવા પર શત્રુઘ્ન સિંહાએ ભાજપ આઈટી સેલ પર નિશાન સાધ્યું; તેમની પુત્રીના રાજકારણમાં પ્રવેશવાની શક્યતા પર વાત કરી
- imran khan: ઇમરાન ખાનનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે લથડ્યું છે; ફેફસાં અને કિડની સ્થિર છે – મેડિકલ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તે અહીં છે




