Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- ઉનાળાના વેકેશનમાં Gujaratમાં 1400 વધારાની બસો દોડશે, જાણો તેનો રૂટ
- Gujarat: મિલકતના દસ્તાવેજોની નોંધણીમાં નવો નિયમ, જો પાલન ન થયું તો IT તરફથી આવશે નોટિસ
- Gujaratના 19 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી, IMDએ જણાવ્યું આગામી 5 દિવસ હવામાન
- પહલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી… કેન્દ્રીય મંત્રી C R Patilએ સુરતમાં શપથ લીધા
- Ahmedabad: ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને આશ્રય આપનાર Lalla Bihari 6 દિવસના રિમાન્ડ પર