Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Gujarat: ‘મનરેગા’માં કામદારોની છટણી અને ચુકવણીમાં વિલંબને કારણે નોકરીઓમાં ઘટાડો થયો
- Chhota Udaipur: ગેરકાયદેસર રેતી ખનન પર ‘જાહેર દરોડા’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઘર્ષણ
- IPL auction 2026: RR એ રવિ બિશ્નોઈને ₹7.20 કરોડમાં ખરીદ્યો, KKR એ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો
- રાજદ્વારી પાઠ્યપુસ્તકમાંથી સીધો ફોટો… pm Modi અને જોર્ડનના ક્રાઉન પ્રિન્સનો આ ફોટો ઘણું બધું કહી જાય છે
- Surat Crime News: માતા-પિતાનું ઘર છોડ્યા પછી, વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી.





