કાજલબેન ઠક્કરનો રીપોર્ટ..
Ahmedabad : અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો.
મૂળ અમદાવાદનો રહેવાસી આ લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ નહતો લાગ્યો. જોકે, આ વિશે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતાં. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતાં. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો..
- pm modi: પીએમ કેર્સ ફંડમાં કેટલા પૈસા છે? સંપૂર્ણ આંકડા, રેકોર્ડ સેટ, ભંડોળના સ્ત્રોતો અને ખર્ચની વિગતો.
- SC: શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: વાટાઘાટો નિષ્ફળ; હિન્દુ પક્ષે જાહેર કર્યું કે તેઓ મસ્જિદ માટે એક ઇંચ પણ જમીન નહીં આપે
- Trump: ટ્રમ્પે શેર કરેલા નકશામાં દુબઈ (યુએઈ) અને કેશ્મ (ઈરાન) ને અમેરિકાનો પ્રદેશ ગણાવ્યો છે
- sonakshi sinha; સોનાક્ષીના ટ્રોલ થવા પર શત્રુઘ્ન સિંહાએ ભાજપ આઈટી સેલ પર નિશાન સાધ્યું; તેમની પુત્રીના રાજકારણમાં પ્રવેશવાની શક્યતા પર વાત કરી
- imran khan: ઇમરાન ખાનનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે લથડ્યું છે; ફેફસાં અને કિડની સ્થિર છે – મેડિકલ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તે અહીં છે




