Ahmedabad : હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લલ્લુરામના અન્ય સમાચારની લિંક નીચે આપેલી છે.
- Gujaratના પોરબંદરમાં વરસાદ, અમદાવાદમાં ધુમ્મસ; જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
- કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને થયેલા નુકસાન માટે Gujarat સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજની કરશે જાહેરાત
- મંત્રીઓ ખેતરોમાં પડાવી રહ્યા છે ફોટા… Gujaratમાં સરકાર નહીં, સર્કસ છે. ખેડૂતની આત્મહત્યા પર ગોપાલ ઇટાલિયાનો મોટો હુમલો
- Horoscope: જાણો કેવો રહેશે તમારો સોમવાર, કોની પર રહેશે શિવજીની દયા
- ISR0″ઇસરો આગામી પાંચ મહિનામાં સાત મિશન પૂર્ણ કરશે,” નારાયણને કહ્યું, પાંચ વર્ષમાં ૫૦ રોકેટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે





