Ahmedabad : હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લલ્લુરામના અન્ય સમાચારની લિંક નીચે આપેલી છે.
- Ahmedabad: હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડ પર એક કર્મચારીનો મહિલાઓ સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ
- Vadodara: તાંદલજામાં અકસ્માત બાદ અધિકારીઓ સતર્ક, લોકો સાથે ઘર્ષણ, 8 દુકાનો તોડી પાડવામાં આવી, 5 ટ્રક જપ્ત
- Banaskantha: ડીસામાં એશિયાનું પ્રથમ ‘રણ થીમ આધારિત’ પ્રાણી સંગ્રહાલય અને રાત્રિ સફારી આકાર લેશે, 542 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને લીલી ઝંડી
- Karnataka: કર્ણાટકમાં આજથી તમાકુ, ગુટખા અને પાન મસાલા પર એક વર્ષનો પ્રતિબંધ અમલમાં
- Gujarat: ગુજરાતમાં મેઘરાજાની સવારી, બે કલાકમાં 48 તાલુકામાં વરસાદ, છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં મેઘમહેર




