ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- T20 વર્લ્ડ કપ ફાઇનલ ભારતીય કેપ્ટન માટે જાગવાની ઘંટડી, શું સૂર્યા આ ટ્રેન્ડ તોડી શકશે?
- Ahmedabad અમદાવાદ પોલીસે T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ટ્રાફિક એડવાઇઝરી જારી કરી
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો ફક્ત એક ક્લિક પર
- China: શી જિનપિંગે સૈન્યને રાજકીય વફાદારીનો પાઠ કેમ શીખવ્યો? ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ફસાયેલા હતા
- ઈરાને 221 મિસાઈલ અને 1,305 ડ્રોન હુમલા કર્યા; UAE એ જાહેર કર્યું કે કેટલા તોડી પાડવામાં આવ્યા




