ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- murmu: રાષ્ટ્રપતિ મુર્મુની ઉત્તર મેસેડોનિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે કરાર થયો
- MEA એ રશિયન અધિકારીને સમન્સ પાઠવ્યા, ચાર ભારતીયોના મોત પર વિરોધ નોંધાવ્યો
- Hockey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; 20 ખેલાડીઓની પસંદગીભારતે 15 ઓગસ્ટથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી
- rahul: રાહુલ અને પ્રિયંકાના પીએમ નિવાસસ્થાન બહાર આગમન અને અખિલેશ તેમાં જોડાયા, પોલીસની કાર્યવાહી – ધરણા વિરોધ કેવી રીતે થયો.
- trump: ૧૦૦ વર્ષ જૂના કાયદાનો પહેલી વાર અમલ: ટ્રમ્પે કેનેડિયન માલ પર ૫૦% ટેરિફ લાદ્યો



