Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો રીપોર્ટ
Rajkot : જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની ઓફીસ, ખાતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં તાલુકા ડી.વાય.એસ.પી. રોહિત ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ પરમાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 65,53,000/- ની કિંમતનો મુદામાલ અરજદાર/ફરિયાદી ને પરત અપાવવામાં પોલીસે મદદ કરી છે.
સદરહુ કાર્યક્રમમાં જેતપુર શહેરના વેપારીઓ-નાગરીકોના માલસામાનની ચોરી-લુંટના બનાવ બાદ પોલીસ વિભાગ દ્વારા ખુબ જ ચપળતાથી ગુનાનો ભેદ ઉકેલીને માનવતાવાદી અભિગમ અપનાવી તમામ વ્યક્તિઓને ચોરી-લુંટ થયેલી ચીજવસ્તુઓ પરત અર્પણ કરેલ હતી.
જીલ્લા એસ.પી. હિમકરસિંહ કાર્યક્રમમાં હાજર રહેલા સર્વે કારખાનેદાર-વેપારીઓને જણાવ્યુ હતું કે પોલીસ હંમેશા નાગરીકોની સેવા કરવા તત્પર હોય છે. અને દરેક નાગરીકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગુનેગારોની સામે ફરીયાદ કરવી જોઈએ. અને પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.
આ પણ વાંચો..
- Rajnath Singh: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રશિયન સમકક્ષને મળ્યા, S 400 ની ડિલિવરી અંગે વાત કરી
- Iran: ઈરાન સાથેના તણાવ વચ્ચે, નેતન્યાહૂને કોર્ટ તરફથી મોટો ફટકો, કેસોની સુનાવણી મુલતવી રાખવાનો ઇનકાર
- Kolkata: હું લગ્ન નહીં કરું’… આ સાંભળીને ટીએમસી વિદ્યાર્થી નેતા ગુસ્સે ભરાયા, વિદ્યાર્થીનીને ઘસડીને લઈ ગયો હેવાન
- Heavy rainfall:અષાઢી બીજની અસર, 27-28 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
- Ahmedabad: ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ફરતા ‘અજાણ્યા’ ડ્રોનને તોડી પડાયું