સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી Sanjiv Bhattની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. તેણે આ કેસમાં જામીન પણ માંગ્યા હતા. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તે સજાને સ્થગિત કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે ભટ્ટ દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવામાં આવશે.
1990નો કસ્ટોડિયલ ડેથ કેસ શું છે?
આ કેસ 1990 માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે જ્યારે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લામાં અધિક પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળ્યા પછી તેઓએ આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ટાડા) હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. તે વર્ષે 30 ઓક્ટોબરે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તત્કાલિન ભાજપના વડા લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં ભારત બંધના એલાનને પગલે રમખાણો થયા હતા. અડવાણીની બિહારમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમણે રામ મંદિર મુદ્દે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી.
અટકાયતમાંના એક પ્રભુદાસ વૈષ્ણનીનું કસ્ટડીમાંથી છૂટ્યા બાદ મૃત્યુ થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે વૈષ્ણનીને સંજીવ ભટ્ટ અને તેમના સહયોગીઓ દ્વારા કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રભુદાસ વૈશ્નાની 9 દિવસ પોલીસ કસ્ટડીમાં હતા અને જામીન પર છૂટ્યા બાદ કિડની ફેલ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કસ્ટોડિયલ યાતનાને કારણે વૈષ્ણનીના મૃત્યુ માટે FIR દાખલ કરી હતી અને 1995માં મેજિસ્ટ્રેટ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી.
સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે
આ કેસમાં બે સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ સાત પોલીસ અધિકારીઓ આરોપી હતા. જામનગર, ગુજરાતની સેશન્સ કોર્ટે પ્રભુદાસ વૈષ્ણનીના કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસકર્મીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ IPSએ સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 2024 માં ગુજરાત હાઈકોર્ટે ભટ્ટની તેમની દોષિત ઠરાવ અને સજા સામેની અપીલને ફગાવી દીધી હતી.
ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો જેણે ઓગસ્ટ 2024માં આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી. કોર્ટે સજા સસ્પેન્ડ કરવાના પાસાને સાંભળ્યો અને પછી તેનો નિર્ણય અનામત રાખ્યો. Sanjiv Bhatt અન્ય બે કેસમાં પણ આરોપી છે – 1996નો ડ્રગ પ્લાન્ટિંગ કેસ અને 1997નો કસ્ટોડિયલ ડેથ કેસ. 1996 ના ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામેની તેમની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.