પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Pahalgam હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરીએ ભારતને ધમકી આપી, કહ્યું, “અમે બદલો લેવાનું જાણીએ છીએ.”
- Rahul Gandhi: દેશના જનરલ ઝેડ બંધારણ બચાવશે અને મત ચોરી બંધ કરશે… રાહુલ ગાંધીનું મોટું નિવેદન
- SEBI: હિંડનબર્ગ રિપોર્ટ કેસમાં સેબીએ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી, હેરાફેરીનાં આરોપોને ફગાવી દીધા
- Pakistan: સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાનનો સંરક્ષણ કરાર… ક્રાઉન પ્રિન્સ શાહબાઝને શા માટે પ્રાથમિકતા આપી રહ્યા છે?
- Trump: ટ્રમ્પ અને સ્ટોર્મરે વિજ્ઞાન અને ટેકનોલોજી કરાર પર હસ્તાક્ષર કર્યા, વેપાર યુદ્ધ પર ગુપ્ત વાટાઘાટો કરી