પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Siddaramaiah: કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં સપા સસ્પેન્ડ; મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તપાસના આદેશ આપ્યા
- Hritik roshan: ઓહ માય ગોડ… ૧૮૨ મિલિયન વ્યૂઝ! ઇન્સ્ટાગ્રામ પર હૃતિક રોશન ધૂમ મચાવી રહ્યો છે
- Rehan vandra એ અવિવા સાથે સગાઈ ક્યારે કરી તેનો ખુલાસો કર્યો, પોતાની મંગેતર સાથેનો ફોટો શેર કર્યો
- Toll: હાઇવે પર જતા મુસાફરો માટે મોટી ટોલ રાહત! બાંધકામ હેઠળના રસ્તાઓ પર અડધી ફી, આંશિક એક્સપ્રેસવે પર NH જેવા દર
- Jaishankar: સમય આવી ગયો છે… આ રોગને મૂળમાંથી નાબૂદ કરવાનો,” બલૂચ નેતા મીર યાર જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં લખે છે





