પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- “તે તેની પત્ની અને પુત્ર સાથે વાત કરતો નથી, તેની માતા દરવાજા પર બેઠી છે,” Ahmedabad Plane Crash માં બચી ગયેલા વિશ્વાસ રમેશના દુ:ખ વિશે જાણો.
- “Baahubali – The Epic” એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી, બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી.
- Cricket: ભારતને વર્લ્ડ કપ જીત અપાવનાર હરમનપ્રીત કૌર કેટલી ધનવાન છે? ક્રિકેટ ઉપરાંત, તે અન્ય સ્ત્રોતોમાંથી પણ કરે છે કમાણી
- Mumbai: DRI એ 42 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું, 2ની ધરપકડ
- Surat: ટ્રોલી બેગમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર, તેના પગ બાંધી બેગમાં ઠૂસી





