પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Gujaratમાં જળપ્રલય જેવી સ્થિતિ; ખેડામાં કાર નાળામાં તણાઈ જતા 4ના મોત, અમદાવાદમાં શાળાઓને રજા
- Suratથી મહારાષ્ટ્ર જતી બસ પૂરનાં પાણીમાં ફસાઈ, પોલીસ બની દેવદૂત
- Valsadએ તોડી નાખ્યા બધા રેકોર્ડ! 24 કલાકમાં 906 મીમી વરસાદ, વંદે ભારત અને શતાબ્દી સહિત 20 થી વધુ ટ્રેનો રદ
- ચૈતર વસાવા પણ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે અને બમણા જોરથી આદિવાસી સમાજ માટે લડશે: Isudan Gadhvi
- Gujaratમાં પૂર જેવી સ્થિતિ; સેના, NDRF અને SDRF બચાવ કામગીરીમાં તૈનાત




