Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





