નડિયાદમાંથી Gujarat ATSની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને Gujarat ATSની ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂરચાલીમાંથી ઝડપી પાડ્યા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા. Gujarat એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે Gujarat એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…
- રાષ્ટ્રપતિ ટ્રમ્પે Pm Modi સાથે ફોન પર વાત કરી, રશિયન તેલ ખરીદવા પર થઇ ડીલ
- Gujaratમાં આગામી થોડા દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના, હવામાન વિભાગે આપી અપડેટ
- Gujarat governmentએ 9 હાઇ-સ્પીડ કોરિડોરને આપી મંજૂરી , મુખ્યમંત્રીએ 7737 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કર્યા પાસ
- દિવાળી પર લોહીથી રંગાયું ઘર! Ahmedabadમાં દારૂડિયા અને બેરોજગાર પુત્રથી કંટાળીને પિતાએ છરીના ઘા મારીને કરી હત્યા
- ગૃહમંત્રી અમિત શાહ Ahmedabadમાં ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા પાઠવશે, CM પટેલ સાથે કાર્યક્રમ