Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GSTની વાત અફવા નીકળી
- Vice president: બંધારણની કલમ ૧૪૨ પર ચર્ચા શા માટે થઈ રહી છે? સરકાર અને વિપક્ષ સામસામે
- Sukma માં 33 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, અમિત શાહે કહ્યું- ‘નક્સલીઓએ હથિયારો મૂકી દેવા જોઈએ’
- Surat તાપી નદીમાં કૂદીને દંપતી અને તેના સગીર પુત્રએ કરી આત્મહત્યા
- Farah Khan એ પોતાના રસોઈયાને સ્ટાર બનાવ્યો, શાહરૂખ ખાન સાથે કરી જાહેરાત