Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- Ahmedabad: ડમ્પરે સ્કૂટર પર સવાર દંપતીને મારી ટક્કર, મહિલાનું માથું ટાયર નીચે કચડાઈ ગયું
- Surat: દીપડાના બચ્ચા આગમાં ફસાઈ ગયા, માદા દીપડાનો આ વીડિયો તમને વિચારવા મજબૂર કરી દેશે
- Gujarat High Courtનો ઐતિહાસિક નિર્ણય, વક્ફ બોર્ડે પણ ફિક્સ કોર્ટ ફી ચૂકવવી પડશે
- બ્લોકના કારણે Gujaratમાં આ સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો થશે પ્રભાવિત
- ક્લાયમેટ ચેન્જના પડકારો સામે રાજ્યના શહેરોએ ગ્રીન સ્પેસ–ગ્રીન ગ્રોથ-ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છ સર્વેક્ષણમાં લિડ લીધી છે : CM Bhupendra Patel





