Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી