વાપી શહેરમાં Ramnavmiની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો છે. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દેશના નેતાઓ અને રામ ભગવાનના પોસ્ટર સાથે નાથુરામ ગોડસેના બેનર પણ લગાવવામાં આવ્યા હતા.
આ બેનર પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન રામ ભગવાન, શિવાજી મહારાજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક મહાનુભાવોના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે.
કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોસ્ટર લગાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વલસાડ જિલ્લામાં રામ જન્મ મહોત્સવની વિવિધ સમિતિઓ અને રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ વિવાદાસ્પદ બેનરને કારણે સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.
આ પણ વાંચો..
- Uttrakhand: ઉત્તરાખંડમાં વિનાશ બાદ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ! આ વિસ્તારોમાં પૂરની ચેતવણી
- Siraj: શું મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાની બહાર હશે? ગૌતમ ગંભીરના નિર્ણયથી સંકેત મળ્યો
- Uttarakhand નું ધારાલી ગામ ગંગોત્રી ધામથી કેટલું દૂર છે? જ્યાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે
- India and Philippines ના દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત નૌકાદળ કવાયત, ચીન ગુસ્સે થયું
- Business: ટ્રમ્પના ટેરિફ નિવેદન પર ભારતનો જોરદાર જવાબ, કહ્યું- ‘ટીકા કરનારા પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે’