Gujaratમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી એક મહિલાનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
શહેરા પોલીસને પરિવારજનો દ્વારા જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. Gujaratમાં એકતરફ તાંત્રિકો, ભૂવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેવા સમયે આ મહિલાની તાંત્રિક વિધીમા હત્યા કરવામા આવી હોવાની શંકાઓની પણ લોકચર્ચાઓ થઈ રહી છે. જોકે પોલીસ તપાસમા સત્ય બહાર આવશે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી. લાશ ગળે ટુપો દીધેલી અવસ્થામાં હતી. રજંનબેનના પતિ સહિતના પિયરપક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, લાશ પાસેથી નાળિયેર અને ફુલ મળી આવ્યા હતા. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઘટનાની જાણ થતા શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે લાવામા આવી હતી. આ મામલે પોલીસે પરિવારજનો ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: માતાની વાતનું માઠું લાગી આવતાં 14 વર્ષનો છોકરો કહ્યાં વગર મહેસાણાથી અમદાવાદ જવા નીકળી ગ્યો
- Rajkot: લોથા ગામમાં વરસાદી પાણીથી ભરેલા તળાવમાં રમતા બે બાળકો ડૂબી ગયા.
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સામે પ્રશ્નો ઉભા થયા, ક્લાર્ક મુખ્ય પરીક્ષાનું પરિણામ ત્રણ મહિના મોડું થયું
- Tamil Nadu: અભિનેત્રી ત્રિશા વિશે અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પૂર્વ નાયબ મુખ્યમંત્રીની અટકાયત! કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
- Gujarat: ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 22 દર્દીઓના મોત, જ્યારે હાલમાં 7 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે




