BJP નેતાએ ભીલાડ અંડરપાસનું તાકીદે પૂર્ણ કરવા માંગણી કરી છે. વાપીમાં ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી અધૂરું હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દૈનિક હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેમાં સેલવાસ, વાપી અને સરિગામ જીઆઈડીસી જતાં કામદારો તેમજ હોસ્પિટલમાં જતાં દર્દીઓ પણ સામેલ છે. અંડરપાસ બંદ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે.
ઉમરગામ તાલુકા BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે આ મુદ્દે વલસાડ જિલ્લા યુવા સાંસદ ધવલ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. ભીલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

રજુઆત મળ્યા બાદ BJP સાંસદ ધવલ પટેલે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે મુલાકાત કરી અને ભીલાડ અંડરપાસના અધૂરા કામ અંગે તાકીદે કાર્યવાહી કરવા કહ્યું. રેલવે અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી વહેલી તકે પૂરી કરવાની ખાતરી આપી છે.
BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે જણાવ્યું કે સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી રેલવે અધિકારીઓએ ચોમાસા પહેલા કામ પૂરૂં કરવા માટે વચન આપ્યું છે. આ અંગે ભાજપ સંગઠન સતત કાર્યશીલ છે, જેથી ઉમરગામના રહેવાસીઓને પડતી મુશ્કેલીમાંથી વહેલું મુક્તિ મળી શકે.
આ પણ વાંચો..
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી