Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Ahmedabad રેસ્ટોરન્ટના તંદૂર રૂમમાંથી 23 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો
- Ahmedabadમાં પૂજારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં પુત્રને મંદિર બચાવવાની કરી અપીલ
- બ્રિટનનું ખોટું સપનું બતાવી 20 લાખની છેતરપિંડી, Gujaratમાં સંબંધીએ લગાવ્યો ચૂનો
- અમે ત્યાં સુધી ઉજવણી નહીં કરીયે; Sunita williamsના પરત ફરવાના સમાચાર પર ભારતમાં રહેતા ભાઈઓએ કહ્યું કઈ આવું
- Vadodara ઘટનાના આરોપીઓનો જૂનો ચિઠ્ઠો આવ્યો બહાર, પહેલા પણ પોલીસ સામે માંગી હતી માફી