Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Odisha: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડિચા મંદિર પાસે નાસભાગ, 3 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
- Monsoon: ગુજરાતમાં છ દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી
- Bharuchમાં ₹7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ, ત્રણ આરોપીઓમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તેમનો પુત્ર
- Horoscope: કેવો રહેશે આજનો દિવસ? જાણો કોના પર વરસશે ભગવાનની કૃપા?
- Putin: પશ્ચિમી દેશો છેતરપિંડી કરનારા છે… પુતિને કહ્યું – રશિયા તેમના કારણે જ લશ્કરી કાર્યવાહી સુધી પહોંચ્યું