Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- કંસે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો આ “મોદાણી”એ કર્યા છે: Isudan Gadhvi
- Horoscope: તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ,જાણો આજનું રાશિફળ
- IND vs SA : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીત સાથે પાછળ છોડી દીધું, આ યાદીમાં નંબર 1 બન્યું
- Australia માં થયેલા ગોળીબારમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માંડ માંડ બચી ગયા, તેમણે ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું
- હમાસના હુમલામાં તે બચી ગયો અને હવે Australia માં એક ગોળી તેના માથામાં વાગી ગઈ. યહૂદી નેતા ચમત્કારિક બચવાની વાર્તા કહે છે





