Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Petrol: આ આઠ પરિબળો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે
- accident in Botad: સિમેન્ટ ભરેલો ટ્રક ખાડામાં પલટી ગયો, 2 ના મોત અને 3 ઘાયલ
- Gir Somnath: રસ્તા પર જન્મદિવસની ઉજવણી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ 11 યુવાનોની ધરપકડ કરાઈ
- Panchmahal: દીપડાનો આતંક, 7 વર્ષના છોકરા પર હુમલો, મચ્છરદાનીએ તેનો જીવ બચાવ્યો
- Gujarat: પાટીદાર અનામત આંદોલનનો વધુ એક કેસ પરત, ગુજરાત સરકારે હાર્દિક પટેલ સહિત 17 સામેનો ગુનો પાછો ખેંચ્યો




