Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- અમેરિકા BRICSથી કેમ ડરે છે? ડોલર સંબંધિત ગતિશીલતાને સમજવી
- IndiGoની ફ્લાઇટમાં બોમ્બની ધમકી: લખનૌથી સાઉદી અરેબિયા જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ; તપાસમાં શું જાણવા મળ્યું?
- PM modi: શું વડાપ્રધાન મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંકલનથી અસંતુષ્ટ છે? તેમણે તેમના મંત્રીઓને આ સલાહ આપી હતી
- rani mukherjee: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેત્રીનું સન્માન કર્યું; મંચ પર ભાવુક થઈને તેમણે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો
- જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ગેરરીતી જોવા મળી, બોગસ મતદાન થયું: Raju Borkhataria AAP




