Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- SCO સંયુક્ત ઘોષણામાં પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ, બધા દેશો કાયરતાપૂર્ણ કૃત્યની નિંદા કરે છે
- Gujarat ના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%, ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે ઉત્તર ગુજરાત
- Putin: રશિયા-ભારત ખભે ખભા મિલાવીને ચાલ્યા… ચીનમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે લાંબી વાતચીત, યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા
- Afghanistan: માટીના પથ્થરના ઘરો, મધ્યરાત્રિ અને પર્વતીય ભૂપ્રદેશ… આ 3 કારણોએ અફઘાનિસ્તાનમાં 800 થી વધુ લોકોના જીવ લીધા
- Sanju Samson: સંજુ સેમસને અજિત અગરકરને તેની બેટિંગ કુશળતા પર પ્રશ્ન પૂછ્યો, તમે મને એશિયા કપમાં ઓપનિંગ કેમ નહીં કરાવો?