Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- yogi adityanath: યુપી-યામાનાશી વચ્ચે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી પર એમઓયુ પર હસ્તાક્ષર, વિદ્યાર્થીઓ જાપાનમાં તાલીમ મેળવશે
- આ 5 કેપ્ટનો T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા બાદ પોતાના પદ ગુમાવવાનો ભય ધરાવે છે!
- “The kerela story 2” ના નિર્માતાઓને મોટો ફટકો પડ્યો કારણ કે કેરળ હાઈકોર્ટે તેની રિલીઝના એક દિવસ પહેલા સ્ટે લગાવ્યો હતો; ફિલ્મ 15 દિવસ માટે મુલતવી રાખવામાં આવી
- china યુક્રેન કટોકટીનો રાજકીય ઉકેલ લાવવાનું આહ્વાન કરે છે, એમ કહે છે કે દેશોની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જરૂરી છે
- ૧૭ માળ, હેલિપેડ અને ૩,૭૧૬ કરોડ રૂપિયાની કિંમત… anil ambaniનું ઘર, ‘એબોડ’, મુકેશ અંબાણીના ‘એન્ટિલિયા’ કરતા ઓછું પ્રભાવશાળી નથી





