Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Putin-trump: પુતિન-ટ્રમ્પ ફ્રેન્ડશીપ ટનલ શું છે? રશિયા તેને ડ્રીમ પ્રોજેક્ટ કેમ કહી રહ્યું છે?
- Pakistan: પંજાબ પ્રાંતમાં 5,500 થી વધુ TLP સભ્યોની ધરપકડ, હિંસક અથડામણો બાદ કાર્યવાહી
- Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો દાવો, પ્રત્યાર્પણ કેસમાં આગામી સુનાવણીમાં સનસનાટીભર્યા ખુલાસા થશે
- Milan: દિવાળી પહેલા ઇટાલીના મિલાનમાં 255 મુસાફરો ફસાયા; એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ
- Mozambiqueમાં બોટ અકસ્માત: ત્રણ ભારતીય નાગરિકોના મોત, એક ઘાયલ, પાંચને બચાવી લેવામાં આવ્યા