પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Sonakshi Sinha: શું સોનાક્ષી સિંહા ગર્ભવતી છે? પતિ ઝહીર ઇકબાલ સાથેની વાતચીતમાં રહસ્ય ખુલ્યું, સત્ય બહાર આવ્યું
- Bangladesh: આ મુસ્લિમ દેશમાં મોટી મુશ્કેલીમાં મુકાયેલા બાંગ્લાદેશીઓ, ઇસ્લામિક સ્ટેટ માટે કામ કરી રહ્યા હતા
- Harry broke: હેરી બ્રુકે પણ સદી ફટકારી, એજબેસ્ટન ટેસ્ટમાં લીડ્સની હારની ભરપાઈ કરી
- Krishna janmabhumi: હિન્દુ પક્ષોને ઝટકો, ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો
- Spirit: ૩૦૦ કરોડમાં બનનારી ફિલ્મ સ્પિરિટ માટે, નિર્માતાઓએ પ્રભાસ સામે એક મોટી શરત મૂકી, તૃપ્તિ ડિમરી સાથે શૂટિંગ