પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Horoscope: 21 જુલાઈએ મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- ethanol: શું પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ 20% થી વધુ હશે? રાજ્યસભામાં સરકારનો જવાબ
- Ukraine: યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયોના મોત; ભારતે કડક સંદેશ આપ્યો
- arijit singh: નિવૃત્તિની જાહેરાત કર્યા પછી અરિજિત સિંહ પાછો ફર્યો! ગીત રિલીઝ અંગે અપડેટ
- Trump: ટ્રમ્પ ઈરાનના ‘ખાર્ગ’ પર કેમ નજર રાખી રહ્યા છે? તેહરાન ચેતવણી આપે છે: અહીં આવનાર કોઈપણ સૈનિકો જીવતા નહીં જાય




