પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Rohit Sharma ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો, શુભમન ગિલ સહિત આ ખેલાડીઓ પણ એશિયા કપ પહેલા પહોંચ્યા હતા
- Zelensky: પુતિનને મળ્યા પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે વાત કરી, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી
- Aap દ્વારા પંજાબમાં રાહત કામગીરી પૂરજોશમાં: છેલ્લા 24 કલાકમાં 4711 પૂર પીડિતોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
- Aap: પંજાબમાં આફત વચ્ચે સેવાનું ઉદાહરણ: આમ આદમી પાર્ટીની યુવા અને મહિલા પાંખ પૂર રાહતમાં મોખરે
- ‘Donald Trump ક્વાડ સમિટ માટે ભારત નહીં આવે’, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં મોટો દાવો