શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. ગુજરાતના અમરેલીમાં એક શાળાના શિક્ષકે બે વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.

મહેન્દ્ર પટેલ નામના શિક્ષક પર 2 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. છેલ્લા આઠ દિવસથી હવસખોર શિક્ષક બાળાઓનું શારીરિક શોષણ કરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને દારૂ પીવડાવ્યા બાદ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીને ઘરે આવ્યા બાદ ઉલ્ટીઓ થતાં વાલીએ તપાસ કરી તો સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે. નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી.